જામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ

જામનગર,

તા.13 જામનગર ના જિલ્લા સમાહર્તા રવિશંકર દ્વારા કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

આ વેળાએ કલેકટર જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ નો લાભ મેળવ્યો છે. આ સમયે ખેડૂતો અને પોતાની ખેતી માટે લેવા પડતા ધિરાણ બાબતે વારંવાર ગૂંચવણભરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે તે માટે જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે, તેમાંના એક પણ લાભાર્થી આ કાર્ડ નાં લાભથી બાકી ન રહી જાય તે માટે ખેડૂતો આગળ આવે તેવી અપીલ કરતા કહ્યું હતું કે, જે કિસાન ક્રેડિટ કાર્ડ ધારક નથી તેઓ માટે આગામી દિવસોમાં જિલ્લા ખેતીવાડી વિભાગના વહીવટી તંત્ર તેમજ બાળકો સાથે મળીને ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ પાક ધિરાણ આપવા માટે તારીખ 08-02-2020 થી 23-02-2020 સુધી વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેના લાભ લેવા માટે ખેડૂતોને એક પાનાના સરળ ફોર્મ સાથે નામ, સરનામું, 7-12, બેક એકાઉન્ટ વિગતો આપવાની રહેશે, જેના થકી આ કાર્ડ ખેડૂતોને સરળતાથી પ્રાપ્ત થશે.

આ કાર્ડ માટે ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે નજીકની બેંક શાખા નો સંપર્ક કરવાનો રહેશે અથવા તો બેંક મિત્રનાં સંપર્ક થકી તેઓ સરળતાથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટેની પ્રક્રિયા પણ ચાલુ રહેશે જેને ખેડૂત મિત્રોને નોંધ લેવા અને લાભ લેવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડ જિલ્લામાં રહેલા પશુપાલકોને માછીમારોને પણ આપવામાં આવશે જેનો લાભ લઈ તેવો પણ આગળ પણ મેળવી શકશે, તેમ કલેકટર રવિશંકરે ઉમેર્યુ હતું. આ પરિષદ માં જામનગરનાં લીડ બેન્કના મેનેજર શુકલા, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.વી.ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment